Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, “સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે “સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, ‘રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:11
11 Iomraidhean Croise  

તેથી સાદોક અને અબ્યાથાર ઈશ્વરની કરારપેટી પાછી યરુશાલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં જ રહ્યા.


યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો.


આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?”


પછી સર્વ ઇઝરાયલીઓએ રાજા પાસે જઈને કહ્યું, “હે રાજા, અમારા માલિક, યહૂદિયાના અમારા જાતભાઈઓએ રાજાના માણસો સાથે ભળી જઈને રાજાને પોતાના કેમ કરી લીધા છે? રાજાને અને તેમના પરિવારને નદીની પેલે પારથી તેઓ એકલા કેમ લઈ આવ્યા?


રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.


તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે.


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


અમને મદદ મળે એવો હક્ક તો અમને હતો, પણ અમારા વર્તનથી તમને નમૂનો મળે માટે અમે તેમ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan