Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યોઆબને ખબર મળી કે દાવિદ રાજા આબ્શાલોમ માટે રુદન અને શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યોઆબને ખબર મળી કે ‘આબ્શાલોમને લીધે રાજા રડે છે ને વિલાપ કરે છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:1
9 Iomraidhean Croise  

તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો.


પણ પેલા માણસે જવાબ આપ્યો, “તમે મને ચાંદીના હજાર સિક્કા આપો તો પણ હું રાજાના પુત્ર પર મારો હાથ ન ઉપાડું. ‘મારે લીધે તમે યુવાન આબ્શાલોમને કંઈ ઇજા ન કરશો.’ એવો તમને, અબિશાયને અને ઇતાયને રાજાએ આપેલો હુકમ અમે સૌએ સાંભળ્યો હતો.


યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


યોઆબે કહ્યું, “ના. તું આજે શુભ સમાચાર લઈ જઈશ નહિ. બીજે કોઈક દિવસે તું એમ કરજે, પણ આજે નહિ; કેમ કે રાજાનો પુત્ર મરણ પામ્યો છે.”


દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.”


તેણે યોઆબ, અબિશાય અને ઇતાયને હુકમ આપ્યો, “મારે લીધે તમે જુવાન આબ્શાલોમને કંઈ હાનિ પહોંચાડશો નહિ.” દાવિદે તેના સેનાધિકારીઓને આપેલો એ આદેશ સર્વ લશ્કરી ટુકડીઓએ સાંભળ્યો.


તેથી એ દિવસે દાવિદની સર્વ લશ્કરી ટુકડીઓ માટે વિજયનો આનંદ દુ:ખમાં ફેરવાઈ ગયો. કારણ, તેમણે સાંભળ્યું કે રાજા પોતાના પુત્ર માટે શોક કરે છે.


મૂર્ખ પુત્ર પિતાને માટે ખેદનજક અને જનેતાને માટે દુ:ખજનક હોય છે.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan