Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સાદોકના દિકરા અહિમાઆસે કહ્યું, “મને દોડતા જઈને રાજાને ખબર આપવા દો કે, યહોવાએ તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, “હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ત્યારબાદ સાદોકના પુત્ર અહીમાંઆસે કહ્યું, “યહોવાએ રાજાના શત્રુ આબ્શાલોમથી તેનું રક્ષણ કર્યું છે, આ શુભ સમાંચાર કહેવાને મને રાજા દાઉદ પાસે દોડતો જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:19
15 Iomraidhean Croise  

વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા.


સાદોકનો પુત્ર અહિમાસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન પણ ત્યાં તેમની સાથે છે. તને મળેલી માહિતી તેમના દ્વારા મને મોકલજે.”


અબ્યાથારનો પુત્ર યોનાથાન અને સાદોકનો પુત્ર અહિમાસ યરુશાલેમના સીમાડે એનરોગેલ ઝરા પાસે છુપાઈ રહેતા હતા. જે કંઈ બની રહ્યું હોય તે વિષે એક દાસી નિયમિત રીતે જઈને તેમને જણાવતી. પછી તેઓ જઈને તે દાવિદ રાજાને જણાવતા. કારણ, તેઓ શહેરમાં પ્રવેશીને લોકોની નજરે પડવા માંગતા નહોતા.


યોઆબે કહ્યું, “ના. તું આજે શુભ સમાચાર લઈ જઈશ નહિ. બીજે કોઈક દિવસે તું એમ કરજે, પણ આજે નહિ; કેમ કે રાજાનો પુત્ર મરણ પામ્યો છે.”


યોઆબે પૂછયું, “દીકરા, તું શા માટે જવા માગે છે? એને બદલે તને કોઈ ઇનામ મળવાનું નથી.” અહિમાસે કહ્યું, “થવાનું હોય તે થાય. મારે જવું છે.” યોઆબે કહ્યું, “તો જા.” તેથી અહિમાસ યર્દન નદીની ખીણમાં થઈને દોડયો અને કૂશી ગુલામની આગળ થઈ ગયો.


પછી કુશી ગુલામ આવી પહોંચ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું આપને માટે શુભ સમાચાર લાવ્યો છું. આજે પ્રભુએ તમને તમારી વિરુદ્ધ બળવો કરનારાઓના હાથથી છોડાવ્યા છે.”


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


કારણ, તમારા ન્યાયાસન પર બિરાજીને તમે સાચો ચુકાદો આપ્યો છે; તમે મારા હક્ક અને દાવાનું સમર્થન કર્યું છે.


એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે.


મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.”


Lean sinn:

Sanasan


Sanasan