Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:18 - પવિત્ર બાઇબલ C.L.

18 દાવિદની આગળ રાજદ્વારી સંરક્ષકો પસાર થઈ રહ્યા હતા. વળી, ગાથમાંથી દાવિદ રાજા સાથે આવેલા કરેથીઓ અને પેલેથીઓના છસો સૈનિકો પણ પસાર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેનું સઘળું સૈન્ય તેની પડખે ચાલતું હતું અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ અને સર્વ ગિત્તીઓ એટલે ગાથથી તેની સાથે આવેલા છસો માણસો તેની આગળ ચાલતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 રાજાના સર્વ અંગરરક્ષકો કરેથીઓ અને પલેથીઓ અને તેની સાથે ગાથથી આવેલા 600 માંણસો રાજાની બાજુએ થઇને પસાર થયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:18
16 Iomraidhean Croise  

રાજા અને તેના સર્વ માણસો નગર છોડી જઈ રહ્યા હતા ત્યારે તેઓ છેલ્લા મકાન આગળ થોભ્યા.


તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.”


યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો.


તેથી અબિશાયની સાથે યોઆબના માણસો, કરેથીઓ અને પલેથીઓમાંના સંરક્ષકો અને બીજા સર્વ સૈનિકો યરુશાલેમ છોડીને શેબાનો પીછો કરવા ગયા.


તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો.


કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.


તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.


યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા.


તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી.


તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા.


દાવિદ અને તેના માણસો તેમનાં કુટુંબો સહિત આખીશના આશ્રયે ગાથમાં વસ્યા. દાવિદની સાથે તેની બંને પત્નીઓ એટલે કે યિઝએલની અહિનોઆમ અને નાબાલ ર્કામેલીની વિધવા અબિગાઈલ હતી.


દાવિદ ગાથ નાસી ગયો છે એવી ખબર પડતાં શાઉલે તેને શોધવાનું પડતું મૂકાયું.


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.”


તેથી દાવિદ પોતાના છસો માણસોને લઈને ઉપડયો અને બેસોરના નાળા પાસે આવી પહોંચ્યો. તેમનામાંથી કેટલાક ત્યાં રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan