Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેથી યોઆબ નગરની આસપાસ ઘેરો ગોઠવતો હતો ત્યારે શત્રુનું જ્યાં વધારે જોર હતું એ જગ્યાએ તેણે ઉરિયાને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો કરતો હતો, ત્યારે જે જગા વિષે તે જાણતો હતો કે ત્યાં શૂરવીર માણસો છે તે જગાએ તેણે ઉરિયાને રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:16
13 Iomraidhean Croise  

તેણે લખ્યું હતું, “જ્યાં ઉગ્ર જંગ જામ્યો હોય ત્યાં ઉરિયાને પ્રથમ હરોળમાં રાખજો અને પછી પીછેહઠ કરી તેને મરી જવા દેશો.”


શત્રુનું સૈન્ય શહેરમાંથી નીકળી આવ્યું અને તેણે યોઆબના સૈન્ય પર આક્રમણ કર્યું. દાવિદના કેટલાક સૈનિકો અને ઉરિયા માર્યા ગયા.


ગિદિયોનનો પુત્ર અબિમેલેખ કેવી રીતે માર્યો ગયો એ શું તમને યાદ નથી? થેબેઝમાં એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ ફેંકીને તેને મારી નાખ્યો નહોતો?’ જો રાજા તને એવું પૂછે તો તેમને આટલું કહેજે: ‘તમારો સેવક ઉરિયા હિત્તી પણ મરણ પામ્યો છે.”


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


“વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.


યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


એફ્રાઈમે જુલમ વેઠયો છે, પોતાના હક્કની જમીન તેણે ગુમાવી છે. કારણ, જેમની પાસે મદદની અપેક્ષા રાખી શકાય નહિ તેમની મદદ લેવા તે દુરાગ્રહપૂર્વક ગયો છે.


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


Lean sinn:

Sanasan


Sanasan