Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઘોડેસ્વારે યેહૂ પાસે જઈને તેને પૂછયું, “રાજા પૂછાવે છે કે તમે સુલેહશાંતિથી આવો છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? તું મારી પાછળ જોડાઈ જા.” ચોકીના બુરજ પરના સંરક્ષકે જણાવ્યું કે સંદેશક ટુકડી પાસે પહોંચી ગયો છે. પણ પાછો ફરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આથી એક ઘોડેસવાર યેહૂની સામે ગયો, ને તેણે કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” પછી પહેરેગીરે ખબર આપી, “સંદેશિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા એમ પૂછે છે કે: ‘શું તમને સલાહશાંતિ છે?’” માટે યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, “સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’” યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:18
8 Iomraidhean Croise  

યિઝએલમાં ચોકીના બુરજ પર ફરજ બજાવતા સંરક્ષકે યેહૂ અને તેના માણસોને આવતા જોયા. તેણે બૂમ પાડી, “હું કેટલાક માણસોને સવારી કરી આવતા જોઉં છું.” યોરામે જવાબ આપ્યો, “એક ઘોડેસ્વાર મોકલીને તપાસ કરાવો કે તેઓ સુલેહશાંતિથી આવે છે?”


બીજો એક સંદેશક મોકલવામાં આવ્યો અને તેણે પણ યેહૂને એ જ પ્રશ્ર્ન પૂછયો. યેહૂએ ફરી એ જ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? મારી પાછળ જોડાઈ જા.”


યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.”


યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?”


પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.”


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને અન્યાયી પગલાં જ ભરે છે. તેમના રસ્તા અવળા છે અને એવે રસ્તે જનારાની કોઈ સહીસલામતી નથી.


વળી, પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “જે ઘરમાં શોક કરાતો હોય તેમાં પ્રવેશ કરીશ નહિ. તેમના રુદનમાં ભાગ લઈશ નહિ કે સાંત્વન આપીશ નહિ. કારણ, મેં આ લોકો પરથી મારી શાંતિ, મારો અવિચળ પ્રેમ અને મારી કરુણા લઈ લીધાં છે.


તેમણે શાંતિનો માર્ગ જાણ્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan