Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:6 - પવિત્ર બાઇબલ C.L.

6 રાજાએ સ્ત્રીને પૂછતાં તેણે બધી વાત કહી સંભળાવી. તેથી રાજાએ અધિકારીને બોલાવીને તેને એ પ્રશ્ર્ન સોંપ્યો ને તેને આવી સૂચના આપી: “આ સ્ત્રીને તેની સઘળી મિલક્ત અને તે દેશ છોડીને ગઈ ત્યારથી આજ દિન સુધી તેના ખેતરોમાં થયેલી ઊપજની સઘળી આવક તેને પાછી અપાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, ત્યારે તેણે [પોતાની હકીકત] તેને કહી. તેથી રાજાએ તેને માટે એક ખાસ અધિકારી ઠરાવી આપીને એને કહ્યું, “તેનું જે હતું તે સર્વ, તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી તે આજ સુધીની તેના ખેતરની બધી ઊપજ તેને પાછી અપાવ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?” સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:6
10 Iomraidhean Croise  

પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.


દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”


એલિશાએ કેવી રીતે મરેલા છોકરાને સજીવન કર્યો હતો તે વિષે ગેહઝી રાજાને કહેતો હતો ત્યારે જ એ સ્ત્રીએ રાજા સમક્ષ પોતાની દાદ રજૂ કરી. ગેહઝીએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, આ જ એ સ્ત્રી છે અને આ તેનો પુત્ર છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો!”


અરામનો રાજા બેનહદાદ બીમાર હતો ત્યારે એલિશા દમાસ્ક્સ ગયો. ઈશ્વરભક્ત એલિશા ત્યાં છે એવી રાજાને ખબર મળી.


યેહૂએ ઊંચે જોઈ બૂમ પાડી, “મારા પક્ષે કોણ કોણ છે?” મહેલના બે ત્રણ અધિકારીઓએ બારીમાંથી તેની સામે જોયું,


દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


પણ જો તમારો સાથીભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા તે પ્રાણી કોનું છે તે તમે જાણતા ન હો તો તમારે તેને તમારે ઘેર લઇ જવું અને તમારે ત્યાં રાખવું અને જ્યારે તેનો માલિક તેને શોધતો શોધતો તમારે ઘેર આવે ત્યારે તમારે તેને તે પાછું આપવું.


આમ્મોનના રાજાએ યફતાના સંદેશકોને જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમણે આર્નોન નદીથી માંડીને યાબ્બોક નદી તેમજ યર્દન નદી સુધીનો મારો પ્રદેશ પચાવી પાડયો છે. હવે તમારે મને તે પ્રદેશ શાંતિપૂર્વક પાછો આપી દેવો જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan