Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમનામાંથી એકે ઉત્તર આપ્યો, “હે રાજા, મારા માલિક, કોઈ નહિ; પણ તમે તમારા પોતાના ખંડના એકાંતમાં જે બોલો છો તે પણ ઈઝરાયલ દેશમાંનો સંદેશવાહક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેના ચાકરોમાંના એકે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એમ નથી; પણ જે વચનો તમે તમારા શયનગૃહમાં બોલો છો, તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે એક અમલદાર બોલ્યો, “મુરબ્બી રાજા, કોઈ નહિ, પણ ઇસ્રાએલમાં રહેતા પ્રબોધક એલિશા તમે તમાંરા શયનખંડમાં પણ જે શબ્દો ઉચ્ચારો છો, તે ઇસ્રાએલના રાજાને કહી દે છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:12
19 Iomraidhean Croise  

પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે?


એક દિવસે તેણે પોતાની શેઠાણીને કહ્યું, “મારા માલિક સમરૂનમાં રહેતા સંદેશવાહક પાસે જાય તો કેવું સારું! તે તેમનો કોઢ મટાડી દેશે.”


ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!”


એનાથી અરામનો રાજા ખૂબ અકળાયો. તેણે પોતાના અધિકારીઓને બોલાવીને તેમને પૂછયું, “તમારામાંથી ઈઝરાયલના રાજાના પક્ષનો કોણ છે?”


રાજાએ હુકમ કર્યો, “તે ક્યાં છે તે શોધી કાઢો. હું તેને પકડી લઈશ.” તેને એવી બાતમી મળી કે એલિશા દોથાનમાં છે.


નાઇલ નદી દેડકાંથી ખદબદશે. દેડકાં તારા મહેલમાં, તારા શયનખંડમાં, તારા પલંગ ઉપર તેમ જ તારા અમલદારોના ઘરમાં, તારી પ્રજા ઉપર, તમારી સગડીઓમાં અને તમારી થાળીઓમાં ચડી આવશે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


તારા મનના વિચારમાં પણ રાજા વિશે ભૂંડું બોલીશ નહિ. તારા શયનખંડમાં પણ ધનિકનું ભૂંડું બોલીશ નહિ, કારણ, પંખી પણ તારા શબ્દો લઈ જશે અને વાયુચર પક્ષી પણ તે વાત કહી દેશે.


ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”


યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan