Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:25 - પવિત્ર બાઇબલ C.L.

25 ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓએ નગરો પાડી નાખ્યાં, અને દરેક માણસે જમીનના દરેક સારા ટુકડામાં પથ્થર નાખીને તેને ભરી કાઢ્યો. તેઓએ પાણીના સર્વ ઝરા પૂરી નાખ્યા, ને સર્વ સારાં ઝાડ કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ તેના પથ્થરો રહેવા દીધા; તોપણ ગોફણ મારનાર એની આસપાસ ફરીને એના પર મારો ચલાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ઇઝરાયલે નગરોનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા ઝરાને તેમણે બંધ કરી દીધાં, બધાં જ સારાં વૃક્ષો કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા. અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:25
16 Iomraidhean Croise  

તેના પિતા અબ્રાહામના સમયમાં અબ્રાહામના નોકરોએ ખોદેલા બધા કૂવા પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા.


ઈસ્હાકે પોતાના પિતા અબ્રાહામના વખતમાં ખોદાયેલા કૂવા ફરી ખોદી કાઢયા; કારણ, અબ્રાહામના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે પૂરી દીધા હતા. વળી, તે કૂવાઓનાં જે નામ ઇસ્હાકના પિતાએ પાડયાં હતાં તે જ નામ ઇસ્હાકે પણ પાડયાં.


પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.


તમે તેમનાં સર્વ સુંદર કિલ્લેબંધીવાળાં નગરો કબજે કરશો; તેમનાં ફળાઉ વૃક્ષો કાપી નાખશો; તેમના ઝરા બંધ કરી દેશો અને તેમનાં ફળદ્રુપ ખેતરોને પથ્થરોથી છાઈ દઈ તેમને નકામાં બનાવી દેશો.”


તેઓ છાવણીમાં પહોંચ્યા એટલે ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કર્યો એટલે મોઆબીઓ તેમનાથી ભાગ્યા. ઇઝરાયલીઓએ છેક તેમના દેશ સુધી પીછો કરી તેમની ક્તલ ચલાવી અને તેમણે તેમનાં નગરોનો નાશ કર્યો.


મોઆબના રાજાને લાગ્યું કે લડાઈ હવે તેના હાથમાં રહી નથી, ત્યારે તેણે પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લઈને શત્રુની હરોળ છેદી અરામના રાજા પાસે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નહિ.


મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.


આથી મારી દયવીણા વેદનાથી ઝણઝણી ઊઠી છે. અને કીસ્હરેસને માટે મારો અંતરાત્મા કકળી ઊઠયો છે.


તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે.


તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. સમગ્ર મોઆબના લોકો માટે રુદન કરીશ અને કીર - હેરેસના માણસો માટે હું શોક કરીશ.


તેથી મારું હૃદય મોઆબને માટે અને કીર-હેરેશના લોકો માટે જાણે વિલાપની વાંસળી વગાડે છે; કારણ તેમની સર્વ ધનસંપત્તિનો નાશ થયો છે.


પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’


લડાઈ આખો દિવસ ચાલી. અબિમેલેખે નગરને સર કર્યું, તેના લોકોને મારી નાખ્યા, તેને તોડી પાડયું અને તે જમીન પર મીઠું પાથરી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan