Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તમે તેમનાં સર્વ સુંદર કિલ્લેબંધીવાળાં નગરો કબજે કરશો; તેમનાં ફળાઉ વૃક્ષો કાપી નાખશો; તેમના ઝરા બંધ કરી દેશો અને તેમનાં ફળદ્રુપ ખેતરોને પથ્થરોથી છાઈ દઈ તેમને નકામાં બનાવી દેશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તમે દરેક કોટવાળા નગરને તથા દરેક દિલપસંદ નગરને મારશો, ને દરેક સારા ઝાડને કાપી નાખશો, ને પાણીના સર્વ ઝરા પૂરી દેશો, ને જમીનના દરેક સારા ટુકડામાં પથ્થરો નાખીને તેને બગાડી નાખશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમે તેઓના દરેક કિલ્લેબંધીવાળા નગર તથા દરેક સારા નગર પર હુમલો કરશો, દરેક સારા વૃક્ષોને કાપી નાખશો, દરેક પાણીના ઝરા બંધ કરી દેશો, દરેક સારી જમીનને પથ્થરો નાખીને બગાડી નાખશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમે તેમનાં બધાં જ સારા સારા અને કિલ્લેબંદીવાળા નગરોને ભોંયભેગા કરી નાખશો, બધાં જ સારા વૃક્ષોને કાપી નાખશો, બધાં જ ઝરણાંને પૂરી દેશો, અને પ્રત્યેક ખેતરને તેમાં પથ્થર નાખીને નકામાં બનાવી દેશો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:19
8 Iomraidhean Croise  

પછી ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પીવડાવ્યું.


પછી સંદેશવાહકે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી રાજાએ અરામ તરફની બારી ઉઘાડી. એલિશાએ કહ્યું, “બાણ માર” રાજાએ બાણ માર્યું કે સંદેશવાહક બોલી ઊઠયો, “એ તો જે વડે તું અરામ પર વિજય મેળવશે તે પ્રભુનું બાણ છે. તું અરામીઓ સાથે એફેકમાં લડીને તેમને હરાવશે.”


ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.”


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”


Lean sinn:

Sanasan


Sanasan