૨ રાજા 21:23 - પવિત્ર બાઇબલ C.L.23 આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડી કાઢયું અને તેના પર મહેલમાં જ હુમલો કરીને તેને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને આમોનના ચાકરોએ રાજા સામે બંડ કર્યું, ને તેને તેના પોતાના મહેલમાં મારી નાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને, તેને પોતાના ઘરમાં મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 આખરે તેના નોકરોએ તેની વિરૂદ્ધ કાવતરું ઘડીને, અને તેને રાજમહેલમાં મારી નાખ્યો. Faic an caibideil |
યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો.
જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો.