Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 આશ્શૂરનો સમ્રાટ જે દેશનો વિનાશ કરવાનો નિર્ણય કરે છે તેની તે કેવી દશા કરે છે તે તેં સાંભળ્યું હશે. તો પછી તું બચી જશે એવું ધારે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જો આશૂરના રાજાઓએ સર્વ દેશોનો સમૂળગો નાશ કરીને તેમના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; અને શું તારો બચાવ થશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જો, તેં સાંભળ્યું છે કે, આશ્શૂરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. તો શું તારો બચાવ થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તું તો સારી રીતે જાણે છે કે આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા ત્યાં તેઓએ શું કર્યુ છે. તેઓએ સર્વનાશ કર્યો છે, તો પછી એ તને કયાંથી છોડવાનો છે?

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:11
9 Iomraidhean Croise  

પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


આ બધા દેશોના કોઈપણ દેવે અમારા સમ્રાટના હાથમાંથી ક્યારેય કોઈ દેશને છોડાવ્યો છે? તો પછી પ્રભુ યરુશાલેમને બચાવશે એવું તમે કેમ માનો છો?”


તેમાં તેણે આ પ્રમાણે જણાવ્યું, “જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તેણે તને એવું કહ્યું છે કે યરુશાલેમ મારા હાથમાં પડશે નહિ, તો પણ એથી ભરમાઈશ નહિ.


મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.


સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan