Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું, પણ તેની અગાઉ થઈ ગયેલ ઇઝરાયલના રાજાઓના જેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે યહોવની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓના જેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓ જેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે ઇસ્રાએલના આગળના રાજાઓ જેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:2
13 Iomraidhean Croise  

ઓમ્રીએ તેના સર્વ પુરોગામીઓ કરતાં પ્રભુ વિરુદ્ધ વિશેષ પાપ કર્યું.


તેના સર્વ પુરોગામીઓ કરતાં તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કર્યાં.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


તેણે પણ પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું અને ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર યરોબામ રાજાના સર્વ દુરાચારનું અનુકરણ કર્યું.


તેણે પ્રભુની નજરમાં ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર તેના પુરોગામી રાજા, એટલે નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું અને એ પાપનો ત્યાગ કર્યો નહિ.


તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ.


ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું.


યહૂદિયાના રાજા આહાઝના અમલના બારમા વર્ષમાં એલાનો પુત્ર હોશિયા, ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં નવ વર્ષ રાજ કર્યુ.


આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું; હોશિયા શાલ્મનેશેરને તાબે થઈ ગયો, અને તેને દર વર્ષે ખંડણી આપવા લાગ્યો.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. છતાં તે તેના પિતા આહાબ કે તેની માતા ઇઝબેલ જેટલો દુષ્ટ નહોતો; કારણ, બઆલની પૂજા માટે તેના પિતાએ બનાવેલી પ્રતિમા તેણે તોડી પાડી.


Lean sinn:

Sanasan


Sanasan