Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 16:18 - પવિત્ર બાઇબલ C.L.

18 વળી, આશ્શૂરના સમ્રાટને ખુશ કરવા આહાઝે પ્રભુના મંદિરમાંથી સાબ્બાથદિન માટે રાજ્યાસનનો તખ્તો પણ ઉઠાવી લીધો અને રાજાને માટે મંદિરમાં જવાનો ગુપ્ત રસ્તો પણ બંધ કરી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને સાબ્બાથને માટે જે ઢંકાયેલો રસ્તો મંદિરની અંદર તેઓએ બાંધેલો હતો તે, તથા રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશૂરના રાજાને લીધે ફેરવીને યહોવાના મંદિરમાં વાળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશ્શૂરના રાજાને લીધે ફેરવીને યહોવાહના સભાસ્થાન તરફ વાળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આશ્શૂરના રાજાને પ્રસન્ન કરવા માટે તેણે મંદિરમાંથી પડદાવાળી બેસવાની જગ્યા અને બહારનો દરવાજો પણ દૂર કરી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 16:18
7 Iomraidhean Croise  

તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.


અને તેમને આવો હુકમ આપ્યો, “તમે સાબ્બાથદિને ફરજ પર આવો, ત્યારે તમારામાંથી ત્રીજા ભાગનાએ રાજમહેલની ચોકી કરવી,


આહાઝ રાજાએ પ્રભુના મંદિરમાં વપરાતી તાંબાની જળગાડીઓ એકબાજુ હટાવી દીધી અને તેમના પરથી જળકુંડીઓ ઉઠાવી લીધી. તાંબાના બાર બળદોની પીઠ પરથી તાંબાનો જળકુંડ પણ લઈ લીધો, અને તેને પથ્થરના ઓટલા પર મૂક્યો.


આહાઝ રાજાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.


માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.”


રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.


Lean sinn:

Sanasan


Sanasan