Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:8 - પવિત્ર બાઇબલ C.L.

8 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના આડત્રીસમા વર્ષમાં યરોબામ બીજાનો પુત્ર ઝખાર્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં છ માસ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહૂદિયાના રાજા અઝાર્યાને આડત્રીસમે વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ માસ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદિયાના રાજા અઝાર્યાના આડત્રીસમા વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ મહિના સુધી રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38માં વર્ષે યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:8
14 Iomraidhean Croise  

પ્રભુએ યેહૂને કહ્યું, “મારી દૃષ્ટિએ યોગ્ય છે તેનો અમલ કરીને તેં મારા મનની ઇચ્છા પ્રમાણે આહાબના રાજકુટુંબનો ઉચ્છેદ કર્યો હોઈ તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલમાં રાજા બનશે.”


પછી યહૂદિયાના લોકોએ અમાસ્યાના સોળ વર્ષના પુત્ર ઉઝિયાને રાજા બનાવ્યો.


યરોબામ મરણ પામ્યો અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજા બન્યો.


ઇઝરાયલના રાજા યરોબામ બીજાના અમલના સત્તાવીસમા વર્ષમાં અમાસ્યાનો પુત્ર ઉઝિયા યહૂદિયાનો રાજા બન્યો;


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું.


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં ગાદીનો પુત્ર મનાહેમ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં દસ વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના પચાસમા વર્ષમાં મનાહેમનો પુત્ર પક્હ્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું.


ઉઝિયા મરણ પામ્યો, અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું.


દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.


ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan