Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયાને ઓગણચાળીસમે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં એક મહિનાની મુદત સુધી રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયા ઓગણચાલીસમા વર્ષે રાજ કરવા લાગ્યો, તેણે સમરુનમાં એક મહિના સુધી રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:13
12 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં ઝિમ્રીએ તિર્સામાં ઇઝરાયલ પર સાત દિવસ રાજ કર્યું. ઇઝરાયલી દળોએ પલિસ્તિયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો.


તે પછી શેમેર નામના એક માણસ પાસેથી ચાંદીના છ હજાર સિક્કા આપીને તેણે સમરૂનનો પર્વત ખરીદ્યો. ઓમ્રીએ પર્વતની ચોગરદમ કિલ્લો બાંધ્યો, તે પર નગર વસાવ્યું અને પર્વતના આદ્ય માલિક શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.


ઇઝરાયલના રાજા યરોબામ બીજાના અમલના સત્તાવીસમા વર્ષમાં અમાસ્યાનો પુત્ર ઉઝિયા યહૂદિયાનો રાજા બન્યો;


યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના આડત્રીસમા વર્ષમાં યરોબામ બીજાનો પુત્ર ઝખાર્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં છ માસ રાજ કર્યું.


તેણે હોઈયાં કરેલું ધન તે ઓકી નાખે છે. ઈશ્વર તેને તેના પેટમાંથી પાછું કઢાવે છે.


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


આ લોકો થોડા જ સમયમાં કહેશે, “અમારો કોઈ રાજા નથી, કારણ, આપણે ઈશ્વરની બીક રાખી નથી અને રાજા હોય તો પણ આપણને શા કામનો?”


“મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે,


Lean sinn:

Sanasan


Sanasan