Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી યોઆશે યહોયાદા અને બીજા યજ્ઞકારોને બોલાવીને તેમને પૂછયું, “તમે પ્રભુના મંદિરનું સમારકામ કેમ નથી કરાવતા? હવે આજથી તમારે તમને સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી જે રકમ મળે છે તે તમારે રાખવાની નથી, પણ મરામત પેટે આપી દેવાની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજકને તથા [બીજા] યાજકોને બોલાવીને તેમને કહ્યું, “તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો [હવે પછી] તમારા લાગતાવળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહિ, પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:7
9 Iomraidhean Croise  

પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો.


યહોયાદા યજ્ઞકારની દોરવણી હોવાથી તેણે પોતાના આખાયે જીવન દરમ્યાન પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું


પણ યોઆશના અમલના ત્રેવીસમા વર્ષ સુધી યજ્ઞકારોએ પ્રભુના મંદિરનું કંઈ સમારકામ કર્યું નહોતું


યજ્ઞકારો લોકો પાસેથી પૈસા ન ઉઘરાવવા તેમ જ પ્રભુના મંદિરના સમારકામની જવાબદારી પોતાને હસ્તક ન રાખવા સંમત થયા.


યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?”


સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે હિંમતભેર જરૂરી પગલાં ભર્યાં. તેણે યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા અને ઝીખ્રીનો પુત્ર એલિશાફાટ, એ પાંચ અધિકારીઓ સાથે કોલકરાર કર્યા. એ બધા સૈન્યમાં શતાધિપતિઓ હતા.


ઇઝરાયલી લોકો માટે, ઈશ્વર માટે અને પ્રભુના મંદિર માટે તેણે બજાવેલી સેવાની કદર કરીને તેમણે તેને દાવિદ નગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો.


સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan