Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રત્યેક યજ્ઞકારે તેમની સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એ રકમ લેવી અને પ્રભુના મંદિરમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં મરામત માટે એ રકમ વાપરવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે યાજકો પોતપોતાના લાગતાવળગતા પાસેથી લે, અને જ્યાં કહીં મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:5
14 Iomraidhean Croise  

તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો.


અને તેઓ તેમાંથી પ્રભુના મંદિરની મરામત કરનાર સુથારોને, બાંધકામના કારીગરોને, કડિયાઓને તથા સલાટોને ચૂકવણું કરતા. વળી, સમારકામ માટે જોઈતાં ઈમારતી લાકડાં અને પથ્થરોની ખરીદી અને બીજા ખર્ચ પેટે બધા પૈસા ચૂકવતા.


યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી.


પણ યોઆશના અમલના ત્રેવીસમા વર્ષ સુધી યજ્ઞકારોએ પ્રભુના મંદિરનું કંઈ સમારકામ કર્યું નહોતું


“પ્રમુખ યજ્ઞકાર હિલકિયા પાસે જા અને મંદિરના પ્રવેશદ્વાર પર ફરજ બજાવતા યજ્ઞકારોએ લોકો પાસેથી એકત્ર કરેલા નાણાંનો અહેવાલ લઈ આવ.


ત્યારે ગોત્રના વડાઓ, કુળોના અધિકારીઓ, સહાધિપતિઓ અને શતાધિપતિઓ અને રાજ્યની સંપત્તિના વહીવટદારો રાજીખુશીથી આપવા તૈયાર થયા.


લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો.


તેણે યજ્ઞકારો અને લેવીઓને યહૂદિયાનાં નગરોમાં જઈ પ્રભુના મંદિરના વાર્ષિક સમારકામ માટે પૂરતાં નાણાં લોકો પાસેથી ઉઘરાવી લાવવા આદેશ આપ્યો. તેમણે તેમને એ કામ તાત્કાલિક અને ખંતથી કરવા કહ્યું; પણ લેવીઓએ વિલંબ કર્યો.


પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના અનુયાયીઓએ ઈશ્વરના મંદિરને ભારે નુક્સાન પહોંચાડયું હતું અને બઆલની પૂજામાં તેની ઘણીબધી સાધનસામગ્રીનો ઉપયોગ કર્યો હતો.


વસ્તી ગણતરીમાં જેમની ગણતરી થાય તે દરેક જણે મુલાકાતમંડપના નિયત વજનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ એટલે છ ગ્રામ જેટલું રૂપું આપવું.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


“તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું.


“ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં.


Lean sinn:

Sanasan


Sanasan