Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દોષ નિવારણબલિ અને પ્રાયશ્ર્વિતબલિ માટે આવતા પૈસા પેટીમાં નાખવામાં આવતા નહિ; એ યજ્ઞકારો માટે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દોષનિવારણાર્થે તથા પાપનિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. તે તો યાજકોના હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:16
9 Iomraidhean Croise  

મેં મંદિરના ભંડારના ઓરડાઓની જવાબદારી આ માણસોને સોંપી: યજ્ઞકાર શેલેમ્યા, નિયમશાસ્ત્રી સાદોક, અને પદાયા લેવી. ઝાક્કૂરનો પુત્ર અને માતાન્યાનો પૌત્ર હનાન તેમનો મદદનીશ હતો. પોતાના સાથી કાર્યકરોને અપાતા પુરવઠાની વહેંચણીમાં આ માણસોની પ્રામાણિક્તા અંગે હું ભરોસો રાખી શકું તેમ હતું.


મારા લોકનાં પાપને કારણે તમે ધનવાન થાઓ છો અને એટલે તેઓ વધારે ને વધારે પાપ કરે તેવું તમે ઇચ્છો છો.


બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી.


“પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ માટે એક સરખો નિયમ છે: વિધિ કરનાર યજ્ઞકારને તેનું માંસ મળે.


“ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”


Lean sinn:

Sanasan


Sanasan