Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 માત્ર અહાઝયાનો પુત્ર યોઆશ જ બચી ગયો. બીજાઓ સાથે તે પણ માર્યો ગયો હોત, પણ યહોરામ રાજાની પુત્રી એટલે, અહાઝયાની બહેન યહોશેબાએ તેને બચાવી લીધો. તેણે તેને અને તેની ધાવને પ્રભુના મંદિરમાં લઈ જઈ ત્યાં એક શયનખંડમાં તેને અથાલ્યાથી સંતાડી દીધો, જેથી તે માર્યો ગયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બહેન યહોશેબાએ અહાઝ્યાના દીકરા યોઆશને, રાજાના જે પુત્રો માર્યા ગયા હતા, તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં [સંતાડી રાખ્યા]. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:2
24 Iomraidhean Croise  

માત્ર હદાદ અને તેના પિતાના કેટલાક સેવકો બચી ગયા અને છટકીને ઇજિપ્ત નાસી છૂટયા. (તે વખતે હદાદ માત્ર નાનો બાળક હતો)


ત્રિમાળી ઓરડીઓનો પ્રત્યેક માળ 22 મીટર ઊંચો હતો. મંદિરની ત્રણ બાજુએ બાંધેલી આ ઓરડીઓ ગંધતરુના ભારટિયાથી મંદિરની દીવાલ સાથે ટેકવેલી હતી.


ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી.


યોઆશ સાત વર્ષની ઉંમરે યહૂદિયાનો રાજા બન્યો.


છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી.


ઇઝરાયલના રાજા યેહૂના અમલના સાતમા વર્ષમાં, યોઆશ યહૂદિયાનો રાજા બન્યો, અને તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા ઝિબિયા બેરશેબા નગરની હતી.


આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના પાંચમા વર્ષમાં યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદિયાનો રાજા બન્યો;


પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે.


યહોરામ, અહાઝયા, યોઆશ, અમાસ્યા, ઉઝિયા યોથામ,


પણ યહોરામની પુત્રી યહોશેબા અહાઝયાની સાવકીબહેન હતી. તેનાં લગ્ન યહોયાદા યજ્ઞકાર સાથે થયાં હતાં. તેણે ગુપ્ત રીતે અહાઝયાના એક પુત્ર યોઆશને બચાવી લીધો. માર્યા જનારા રાજકુમારો પાસેથી તેને લઈ જઈને તેણે તેને તથા તેની ધાવને મંદિરના શયનખંડમાં સંતાડી દીધાં અને અથાલ્યાને હાથે માર્યો જતો બચાવી લીધો.


નાઇલ નદી દેડકાંથી ખદબદશે. દેડકાં તારા મહેલમાં, તારા શયનખંડમાં, તારા પલંગ ઉપર તેમ જ તારા અમલદારોના ઘરમાં, તારી પ્રજા ઉપર, તમારી સગડીઓમાં અને તમારી થાળીઓમાં ચડી આવશે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ.


તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે.


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


“તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ”


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


તે માણસે મને કહ્યું કે, આ દક્ષિણ દિશા તરફના મુખવાળો ખંડ તો મંદિરના સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટે છે,


તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan