Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:29 - પવિત્ર બાઇબલ C.L.

29 છતાં તે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના પાપાચારને અનુસર્યો; યરોબામે બેથેલ અને દાનમાં સ્થાપેલા સોનાના વાછરડાની પૂજા તેણે ચાલુ રહેવા દીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તોપણ નબાટનો દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે પાપ કરાવતો હતો તેનું અનુકરણ કરવાથી, એટલે બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડા [ની પૂજા] યેહૂએ ચાલુ રાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પણ નબાટના દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો, તેનું અનુકરણ કરીને યેહૂએ બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પધ્રૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:29
25 Iomraidhean Croise  

પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.


યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


એ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલની ઉપાસના ભૂંસી નાખી.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


તેણે પણ પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું અને ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર યરોબામ રાજાના સર્વ દુરાચારનું અનુકરણ કર્યું.


તેણે પ્રભુની નજરમાં ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર તેના પુરોગામી રાજા, એટલે નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું અને એ પાપનો ત્યાગ કર્યો નહિ.


તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબામે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો તેણે ત્યાગ કર્યો નહિ.


તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ.


ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું.


યરોબામે ઇઝરાયલી લોકોને મૂર્તિપૂજાનાં પાપકર્મોમાં દોર્યા અને એમાંથી તેઓ ક્યારેય પાછા વળ્યા નહિ.


તો પણ તેની અગાઉ થઈ ગયેલ નબાટનો પુત્ર રાજા યરોબામ જેણે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોર્યા, તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ.


તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?”


આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”


મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.


Lean sinn:

Sanasan


Sanasan