Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માટે હવે યહોવા એમ કહે છે, ’જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’” પછી એલિયા ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર એવું કહે છે કે, “જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.” પછી એલિયા ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે આવું બધુ કર્યુ છે તેથી યહોવા એ કહ્યું છે, તું જે પથારીમાં પડયો છે એમાંથી ઊઠવાનો નથી. તું જરૂર મરી જશે.’” ત્યાર પછી એલિયા ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:4
14 Iomraidhean Croise  

પણ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.”


સાપે કહ્યું “એ સાચું નથી. તમે નહિ જ મરશો. એ તો ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વરના જેવાં બનશો અને ભલાભૂંડાનું જ્ઞાન ધરાવતાં થઈ જશો.”


વળી, અહિયાએ યરોબામની પત્નીને કહ્યું, “હવે ધેર જા. તું જેવી નગરમાં પ્રવેશશે કે તારો પુત્ર મરણ પામશે.


તેથી એલિયા આહાબને મળવા ઉપડયો. સમરૂનમાં ભયંકર દુકાળ હતો,


અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.”


અને સંદેશકો રાજા પાસે પાછા ગયા. તેણે પૂછયું, “તમે કેમ પાછા આવ્યા?”


તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.”


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.”


એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ તો મને દેખાડયું છે કે તે મરી જશે; પણ તેને જઈને કહે કે તું સાજો થશે.”


નેક આચરણ કરવાને કટિબદ્ધ થનાર ભરપૂર જીવન સંપાદન કરશે, પણ ભૂંડાઈની પાછળ પડનાર મૃત્યુને શરણ થશે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્‍નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે.


કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.


તે તને અને ઇઝરાયલીઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે. આવતી કાલે તું અને તારા પુત્રો મારી સાથે હશો અને પ્રભુ ઇઝરાયલના સૈન્યને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan