Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 8:12
21 Iomraidhean Croise  

પણ પ્રભુએ તેમને કહ્યું, ‘મારે માટે મંદિર બાંધવાનો તારો વિચાર તો સારો છે, પણ તું તે બાંધી શકીશ નહિ.


“તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું.


જેઓ ચાંદી અને તાંબુ આપી શકે તેવા લોકો પ્રભુ પાસે તેમનું તેવું અર્પણ લાવ્યા. જેઓ પાસે બાવળનાં લાકડાં હતાં તેઓ સૌ કંઈક ને કંઈક કામમાં આવે તે માટે બાવળનાં લાકડાં લાવ્યા.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ,


લોકો માણસમાં વફાદારીની અપેક્ષા રાખે છે, પણ તેઓ જૂઠા ધનિક કરતાં ગરીબને વધુ પસંદ કરશે.


એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો.


ત્યાર પછી જે સેવકને બે હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, તમે મને બે હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા બે હજારનો નફો કર્યો છે.’


જે નાની બાબતોમાં વફાદાર છે, તે મોટી બાબતોમાં પણ થશે; જે નાની બાબતોમાં અપ્રામાણિક છે, તે મોટી બાબતોમાં પણ અપ્રામાણિક થશે.


તેથી તેમાં ચાલુ રહો, અને કાર્ય પૂરું કરો. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી, તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તેના દ્વારા તે યોજના પૂર્ણ કરો.


બીજાઓને મુક્ત કરવા માટે હું તમારા પર બોજ નાખવા માગતો નથી.


વળી, ઈશ્વરના માહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા, તેમ જ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂંક કરી છે.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan