Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 7:8 - પવિત્ર બાઇબલ C.L.

8 જો કે મારા એ પત્રથી તમે દુ:ખી થયા, છતાં એ લખ્યાથી મને દુ:ખ થયું નથી. થોડા સમય માટે એ પત્રે તમને દુ:ખી કર્યા તેથી મને દુ:ખ થયું હોત;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી, જો કે મેં મારા પત્રથી તમને ખિન્‍ન કર્યા, અને તેથી, જો કે મને પસ્તાવો થતો હતો, તોપણ હવે મને પસ્તાવો થતો નથી; કેમ કે હું જાઉં છું કે તે પત્રે તમને થોડી વાર સુધી ખિન્‍ન કર્યા ખરા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જોકે મેં મારા પત્રથી તમને દુ:ખી કર્યા અને તેનું મને દુ:ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ:ખી કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 7:8
15 Iomraidhean Croise  

જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે.


પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે.


ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.


ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.


જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો નહોતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને અમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે પ્રગટ કરવા માટે જ મેં તે લખ્યું હતું.


પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું.


ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે.


પણ તમને દુ:ખી કર્યા તેથી નહિ, પણ દુ:ખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુ:ખનો ઈશ્વરે ઉપયોગ કર્યો; તેથી અમે તમને કંઈ નુક્સાન પહોંચાડયું નથી.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan