Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:3
17 Iomraidhean Croise  

તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?


આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે.


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી.


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


તેથી જ તમારાથી દૂર હોવા છતાં, હું આ લખું છું; જેથી જ્યારે હું ત્યાં આવું, ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરીને મારે સખતાઈથી ક્મ લેવું ન પડે. આ અધિકાર તો તમને તોડી પાડવા નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને માટે છે.


આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ.


જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો નહોતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને અમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે પ્રગટ કરવા માટે જ મેં તે લખ્યું હતું.


તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું!


પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું.


જો કે મારા એ પત્રથી તમે દુ:ખી થયા, છતાં એ લખ્યાથી મને દુ:ખ થયું નથી. થોડા સમય માટે એ પત્રે તમને દુ:ખી કર્યા તેથી મને દુ:ખ થયું હોત;


તેથી તેમની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે, અને હંમેશાં તે મદદ કરવા માટે આતુર માલૂમ પડયો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, અને તેથી તે મદદ કરવા વધુ તત્પર છે.


પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે.


તમારા સંબંધી પ્રભુમાં અમને ભરોસો છે. અમે તમને જે જે જણાવ્યું તે પ્રમાણે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો અને તેમ કરવાનું ચાલુ રાખશો તેવી અમને ખાતરી છે.


મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan