Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મેં ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ વળતર લીધું નહોતું. તેથી તમને મહત્ત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી, એમાં મેં કંઈ ગુનો કર્યો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે તમને અમે ઈશ્વરની સુવાર્તા મફત પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું?

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:7
14 Iomraidhean Croise  

મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી.


તમે પોતે જાણો છો કે મારા પોતાના હાથોથી ક્મ કરીને મેં મારા સાથીદારોની તેમ જ મારી જરૂરિયાતો પૂરી પાડી છે.


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


શું ફક્ત બાર્નાબાસ અને મારે જ અમારા ભરણપોષણ માટે ધંધો કરવો પડે?


હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું:


તે પછી તમારાથી દૂરના બીજા પ્રદેશોમાં અમે શુભસંદેશ પ્રગટ કરી શકીશું; જેથી બીજાના કાર્યક્ષેત્રમાં થયેલ કાર્યની બડાઈ અમે મારીએ નહિ. શાસ્ત્રમાં લખેલું છે:


મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.


હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી.


તમને યાદ હશે, કે અમે રાતદિવસ કાર્ય કરવામાં કેવો કઠોર પરિશ્રમ કર્યો; એ માટે કે ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવામાં અમે તમને ભારરૂપ થઈએ નહિ.


અમે કોઈનું મફત ખાધું નથી. અમે સખત પરિશ્રમ સહિત રાતદિવસ ક્મ કરતા રહ્યા; જેથી તમારામાંના કોઈને અમે બોજારૂપ ન થઈ પડીએ.


Lean sinn:

Sanasan


Sanasan