Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9-11 શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 (પૂર્વે ઇઝરાયલમાં કોઈ ઈશ્વરની સલાહ લેવાને જતો, ત્યારે તે કહેતો, કે ‘ચાલો આપણે દષ્ટા પાસે જઈએ;’ કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દષ્ટા કહેવાતો હતો.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ભૂતકાળમાં ઇસ્રાએલના લોકો પ્રબોધકને દેવ પાસેથી કઇ જાણવું હોય તો તેઓ કહેતા, “ચાલો આપણે દૃષ્ટા પાસે જઇએ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 9:9
16 Iomraidhean Croise  

તેના પેટમાં બાળકોએ બાઝાબાઝ કરી. તેથી તે બોલી, “જો એમ જ હોય, તો મારા જીવવાનો શો અર્થ?” તે પ્રભુને પૂછવા ગઈ


પ્રભુએ દાવિદના દૃષ્ટા એટલે, સંદેશવાહક ગાદને કહ્યું, “દાવિદને જઇને કહે કે તેની આગળ હું ત્રણ વિકલ્પ મૂકું છું. તેની પસંદગીના વિકલ્પ પ્રમાણે હું કરીશ.”


ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.”


ત્યારે પ્રભુએ દાવિદના દષ્ટા ગાદને કહ્યું,


સંદેશવાહક શમુએલ, રાજા શાઉલ, નેરના પુત્ર આબ્નેર અને સરુયાના પુત્ર યોઆબની ભેટો સહિત પ્રભુના મંદિરમાં વપરાશ માટે અર્પેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના હવાલામાં હતી.


આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે.


એકંદરે 212 માણસોને પ્રવેશદ્વારો અને દરવાજાના સંરક્ષક તરીકે પસંદ કર્યા હતા. તેમના વસવાટના ગામ પ્રમાણે તેમની નોંધણી કરવામાં આવી હતી. રાજા દાવિદ અને સંદેશવાહક શમુએલે તેમના પૂર્વજોને આ મહત્ત્વની જવાબદારી સોંપી હતી.


એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો.


એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે.


પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.


તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો.


અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, બસ હવે બહુ થયું! યહૂદિયા પાછો જા. ત્યાં તારી આજીવિકા મેળવી લેજે અને ત્યાં જ બોધ આપજે.


જો આખું શરીર માત્ર આંખ જ હોત, તો પછી તે કેવી રીતે સાંભળત? વળી જો આખું શરીર માત્ર કાન જ હોત, તો તે કેવી રીતે સૂંઘત?


હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”


તેમણે તેને પૂછયું, “મહેરબાની કરી ઈશ્વરને પૂછી જો કે અમારી મુસાફરી સફળ થશે કે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan