Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, “પલિસ્તીઓના સરદારોની સંખ્યા [પ્રમાણે] સોનાની પાંચ ગાંઠો ને સોનાના પાંચ ઉંદરો; કેમ કે તમો સર્વને તથા તમારા સરદારોને એક જ [જાતનો] રોગ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?” તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 6:4
10 Iomraidhean Croise  

વળી, ઇઝરાયલી લોકોએ મોશેની સૂચના પ્રમાણે ઇજિપ્તીઓ પાસેથી સોનાચાંદીનાં આભૂષણો તથા વસ્ત્રો માગી લીધાં.


ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.


એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેણે આશ્કલોનમાં જઈને ત્રીસ માણસોને મારી નાખીને તેમનાં વસ્ત્ર લૂંટી લીધાં અને ઉખાણાનો ઉકેલ બતાવનાર જુવાનોને આપ્યાં. જે કંઈ બન્યું તેને લીધે તે ક્રોધથી ધૂંઆપૂંઆં થઈ ગયો, પછી તે પોતાના પિતાને ઘેર જતો રહ્યો.


દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.


જેઓ મરી ગયા નહિ તેમને પ્લેગની ગાંઠો ફૂટી નીકળી અને એ નગરના લોકનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.


પ્રભુએ આશ્દોદના લોકોને આકરી શિક્ષા કરી અને તેમનો નાશ કર્યો. તેમણે તેમને અને આસપાસના પ્રદેશના સર્વ લોકોને પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે.


પ્રભુની કરારપેટી લઈને તેને ગાડામાં મૂકો અને તેની નજીક એક પેટીમાં તમારા ગુનાની કિંમત ચૂકવવા માટે મોકલવાના સોનાના નમૂના મૂકો. ગાડું ચલાવો. પછી ગાડું એની મેળે જ્યાં જાય ત્યાં જવા દો.


Lean sinn:

Sanasan


Sanasan