Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 6:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “પલિસ્તીઓ ઈશ્વરના કોશને પાછો લાવ્યા છે; તમે નીચે આવીને તે તમારે ત્યાં લઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેમણે કિર્યાથ-યઆરીમ લોકોને સંદેશો મોકલ્યો કે, “પલિસ્તીઓએ યહોવાનો પવિત્રકોશ પાછો સોંપી દીધો છે. તમે નીચે ઊતરીને તે તમાંરે ત્યાં લઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 6:21
11 Iomraidhean Croise  

કરુબો પર બિરાજનાર સેનાધિપતિ યાહવેને નામે ઓળખાતા ઈશ્વરની કરારપેટી બાલાથ-યહૂદિયામાંથી લાવવા માટે દાવિદ એ માણસોને લઈને ઉપડયો.


શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો.


વળી, કિર્યાથ યઆરીમ નગરનો વતની, શમાયાનો પુત્ર ઉરિયા થઇ ગયો. તેણે પણ યર્મિયાની જેમ જ આ નગર અને દેશની વિરુદ્ધ યાહવેને નામે, સંદેશ પ્રગટ કર્યો હતો.


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.


કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ- યઆરીમ) અને રાબ્બા; એ બે નગરો તેમનાં ગામો સહિત.


ત્યાંથી તે નેફતોઆહનાં ઝરણાં સુધી જઈને એફ્રોન પર્વતનાં શહેરો પાસે નીકળી. ત્યાંથી તે બાઅલા (એટલે કિર્યાથ-યઆરીમ) તરફ વળી,


તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી.


તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા.


તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે.


Lean sinn:

Sanasan


Sanasan