Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 “ઈશ્વરનું ગૌરવ લઈ જવામાં આવ્યું છે.” એમ બોલીને તેણે તે છોકરાનું નામ ‘ઇખાબોદ’ એટલે “ગૌરવ ક્યાં છે?” પાડયું. એમ તેણે કરારપેટી લઈ જવામાં આવી તેનો અને તેના સસરા તેમ જ પતિના મરણનો નિર્દેષ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેણે તે છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે;” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવામાં આવ્યો હતો, ને તેના સસરાનું તથા પતિનું [મોત થયું હતું].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:21
12 Iomraidhean Croise  

ઈશ્વરના ગૌરવની સેવા કરવાને બદલે ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિની સેવા કરી.


હે પ્રભુ, હું તમારા ભવ્ય મંદિરને ચાહું છું; જે ધામમાં તમારું ગૌરવ વસે છે તે મને પ્રિય છે.


તેમના સામર્થ્ય અને ગૌરવના પ્રતીક્સમી કરારપેટી તેમણે દુશ્મનોના હાથમાં પડવા દીધી.


તેમના યજ્ઞકારો તલવારથી માર્યા ગયા ત્યારે તેમની વિધવાઓ શોકગીત પણ ગાઈ શકી નહિ.


એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”


ઇખાબોદના ભાઈ અહીટૂબનો પુત્ર અહિયા એફોદ પહેરનાર યજ્ઞકાર હતો. અહિટૂબ તો શીલોમાંના પ્રભુના યજ્ઞકાર એલીના પુત્ર ફિનહાસનો પુત્ર હતો. યોનાથાન ગયો છે એવી માણસોને ખબર નહોતી.


હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.


એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ.


ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા.


તેણે કહ્યું, “ઈશ્વરના ગૌરવે ઇઝરાયલનો ત્યાગ કર્યો છે. કારણ, ઈશ્વરની કરારપેટી લઈ જવામાં આવી છે.”


Lean sinn:

Sanasan


Sanasan