Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો; લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી. અને રણક્ષેત્રમાં તેઓએ [ઇઝરાયલીઓના] સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે વ્યૂહ ગોઠવ્યો, યુદ્ધ જામ્યું. ઇસ્રાએલીઓ હાર્યા. પલિસ્તીઓએ લગભગ 4,000 ઇસ્રાએલીઓને રણભૂમિ ઉપર કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:2
13 Iomraidhean Croise  

આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.


કોઈ પાછળ પડયું ન હોવા છતાં એકબીજા સાથે ટકરાઈને તેઓ પડી જશે અને તમારામાં દુશ્મન સામે ટક્કર ઝીલવાની તાક્ત રહેશે નહિ.


ત્યારે પહાડીપ્રદેશમાં વસતા અમાલેકીઓ અને કનાનીઓએ તેમનો સામનો કરીને તેમને હરાવ્યા અને હોર્મા સુધી તેમની પાછળ પડયા.


એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.


પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ યુદ્ધને માટે સાબદા થઈ સામસામે આવી ગયા.


ગોલ્યાથે ઊભા રહીને ઈઝરાયલીઓને પડકાર્યા, “તમે શું જોઈને લડવા માટે એકત્ર થયા છો? હું પલિસ્તી છું. તમે તો શાઉલના નોકર છો. તમારામાંથી એક માણસને મારી સાથે લડવા પસંદ કરો.


એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલીઓ સામે લડવા એકત્ર થયા હોવાથી ઇઝરાયલી લોકો પલિસ્તીઓ સામે લડવા ગયા. ઇઝરાયલીઓએ એબેન-એઝેરમાં અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી હતી.


પલિસ્તીઓએ સખત લડાઈ આપી. ઈઝરાયલીઓ હાર્યા અને પોતાના તંબુઓ તરફ ભાગ્યા. ભારે ક્તલ થઈ. ત્રીસ હજાર ઇઝરાયલી સૈનિકો મરાયા.


બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan