Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પણ દાવિદની સાથે ગયેલા કેટલાક દુષ્ટ અને નકામા માણસોએ દાવિદને કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા નહોતા, તેથી આપણે તેમને પાછી મેળવેલી લૂંટમાંથી કંઈ નહિ આપીએ. તેઓ તેમની પત્નીઓ અને બાળકો લઈને જતા રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ તથા નીચ માણસોએ કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહિ, માત્ર પ્રત્યેકને તેની પત્ની તથા તેનાં બાળકો જ આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 દાઉદની સાથે જે માંણસો ગયા હતા તેમાંના કેટલાક દુષ્ટ માંણસો હતા તેઓએ કહ્યું, “એ માંણસો આપણી સાથે આવ્યા નહોતા. આપણે જે લૂંટ પાછી મેળવી છે તેમાંથી આપણે તેમને કશું આપીશું નહિ. એ માંણસો પોતપોતાનાં બૈરીછોકરાંને લઈને જતા રહે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:22
10 Iomraidhean Croise  

થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.”


બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.


બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે.


તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,


તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!”


વળી, જેમના પર જુલમ ગુજારવામાં આવ્યો હોય, દેવાદાર હોય અને અસંતુષ્ટ હોય તેવા સૌ તેની પાસે ગયા અને તે તેમનો આગેવાન બન્યો. તેઓ બધા મળીને લગભગ ચારસો પુરુષો હતા.


હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”


તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે.


પછી ખૂબ થાકી જવાને લીધે દાવિદ સાથે જઈ ન શકેલા બસો માણસો જેઓ બેસોરના નાળા આગળ રહ્યા હતા તેમની પાસે તે પાછો ગયો. તેઓ દાવિદ અને તેના માણસોને મળવાને આવ્યા અને દાવિદે તેમની પાસે જઈને તેમને શુભેચ્છા પાઠવી.


પણ દાવિદે કહ્યું, “મારા ભાઈઓ, પ્રભુએ આપણને આપેલી લૂંટ વિષે આપણે એવું ન કરી શકીએ. તેમણે આપણને સલામત રાખ્યા અને હુમલાખોરો પર આપણને વિજય આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan