Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 28:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શમુએલ મરણ પામ્યો હતો, સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરીને તેને તેના પોતાના જ નગરમાં રામામાં દફનાવ્યો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શમુએલ મૃત્યુ પામ્યો હતો. પછી ઇસ્રાએલીઓએ તેનો શોક પાળ્યો હતો અને તેને તેના ગામ “રામાં”માં દફનાવ્યો હતો. શાઉલે આખા દેશમાંથી બધા મેલી વિંધા વાપરનારાઓને અને ભૂવાઓને હાંકી કાઢયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 28:3
12 Iomraidhean Croise  

પરંતુ કન્યાને તેનો પિતા એ પુરુષ સાથે લગ્નની મના કરે તો તે પુરુષે કન્યાના પિતાને એ રકમ ચૂકવવી.


“જો કોઈ સ્ત્રી જાદુક્રિયા કરતી હોય તો તેને મારી નાખવી.


“મૃતાત્માઓ સાથે વાતચીત કરીને સલાહ આપનારા ભૂવાઓ પાસે જવું નહિ. જો તેમ કરશો તો તમે વિધિગત રીતે અશુદ્ધ ગણાશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”


“જો કોઈ મૃતાત્માઓ સાથે વાતચીત કરી સલાહ આપનાર ભૂવા પાસે જાય તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોક મધ્યેથી હું તેનો બહિષ્કાર કરીશ.


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


સ્ત્રીએ જવાબ આપ્યો, “શાઉલ રાજાએ શું કર્યું છે તે તો તમે જરૂર જાણો છો. એટલે કે, તેમણે ઇઝરાયલ દેશમાંથી જાદુગરો અને મૃતાત્માઓનો સંપર્ક સાધનારાઓને હાંકી કાઢયા છે. તેથી તમે મને ફસાવીને કેમ મારી નાખવા માગો છો?”


પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી.


Lean sinn:

Sanasan


Sanasan