Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:33 - પવિત્ર બાઇબલ C.L.

33 ધન્ય છે તને અને તારી સૂઝસમજને કે ખૂનના ગુનાથી અને વેર વાળવાથી તેં મને પાછો રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રશંસા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:33
12 Iomraidhean Croise  

નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.


પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે.


જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે; તેના દ્વારા મૃત્યુના ફાંદામાંથી બચી જવાય છે.


મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે.


જ્ઞાની માણસની શિખામણ પર લક્ષ આપવા તૈયાર હોય તેવા માણસ માટે તે કાનનાં સોનેરી કુંડળ અને સોનાનાં આભૂષણ જેવી છે.


ચાંદીની પરખ કુલડીમાં અને સોનાની પરખ ભઠ્ઠીમાં થાય છે. તેમ માણસની પરખ તેની પ્રશંસા પરથી થાય છે.


ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે.


જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે.


કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો.


મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.


ત્યારે તમારે કોઈને વિના કારણ મારવા વિષે અથવા તમારું વેર લેવા માટે દુ:ખી થવાનું કે પસ્તાવો કરવાનો રહેશે નહિ. મહોદય, પ્રભુ તમારું ભલું કરે ત્યારે મને તમારી સેવિકાને ભૂલશો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan