Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો. એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:1
20 Iomraidhean Croise  

અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા.


અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી.


સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.


આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે.


તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો.


મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો.


મનાશ્શા મૃત્યુ પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન રાજા બન્યો.


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


પૃથ્વીના બધા રાજાઓ પૂરા સન્માનથી પોઢયા છે; પ્રત્યેક પોતાની કબરમાં છે. પણ તારું તો દફન પણ થયું નહિ!


તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી.


અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


ત્યાર પછી તેમણે હસેરોથથી નીકળીને પારાનના રણપ્રદેશમાં પડાવ નાખ્યો.”


તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં.


પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: કુળ કુટુંબનો આગેવાન રૂબેન ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન હોરીનો પુત્ર શાફાટ યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા સૂસીનો પુત્ર ગાદી દાન ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી વોફસીનો પુત્ર નાહબી ગાદ માખીનો પુત્ર ગેઉએલ


સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.


ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો.


બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી.


હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.


પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી.


Lean sinn:

Sanasan


Sanasan