Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી, “હું જઈને એ પલિસ્તીઓને મારું?” યહોવાએ દાઉદને કહ્યું, “જા; પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને આ પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?” યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:2
17 Iomraidhean Croise  

એ પછી દાવિદે પ્રભુને પૂછયું, “હું જઈને યહૂદિયાના કોઈ નગરને જીતવા જઉં?” પ્રભુએ જવાબ આપ્યો, “જા.” દાવિદે પૂછયું, “કયા નગરમાં?” પ્રભુએ કહ્યું, “હેબ્રોનમાં.”


દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.”


ફરીવાર દાવિદે પ્રભુને પૂછી જોયું અને તેમણે જવાબ આપ્યો, “અહીંથી તેમના પર હુમલો કરીશ નહિ. પણ વળીને શેતૂરવૃક્ષની સામેથી તેમના પર હુમલો કરવાને તૈયાર રહે.


દાવિદે ઈશ્વરને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? મને વિજય અપાવશો?” પ્રભુએ કહ્યું, “જા, હુમલો કર! હું તને વિજય અપાવીશ.”


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ.


હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”


તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?”


તેથી શાઉલે ઈશ્વરને કહ્યું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે અમને વિજય પમાડશો?” પણ ઈશ્વરે તે દિવસે જવાબ આપ્યો નહિ.


પણ દાવિદના માણસોએ તેને કહ્યું, “અહીં યહૂદિયામાં જ આપણે ઘણા ભયમાં છીએ. કઈલા જઇને પલિસ્તીઓનાં દળો પર હુમલો કરીને તો ભારે જોખમમાં આવી પડીશું.”


તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.”


અહિમેલેખનો પુત્ર અબ્યાથાર નાસી છૂટયો હતો ત્યારે તે એફોદ લઈને કઈલામાં દાવિદ પાસે ગયો.


દાવિદે પ્રભુને પૂછયું, “શું હું એ હુમલાખોરોનો પીછો કરું? શું હું તેમને પકડી પાડી શકીશ?” પ્રભુએ જવાબ આપ્યો, “તેમનો પીછો કર, તું તેમને પકડી પાડી શકીશ અને બધા કેદીઓને છોડાવી શકીશ.”


Lean sinn:

Sanasan


Sanasan