Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પણ અહિટૂબના પુત્ર અહિમેલેખનો એક પુત્ર અબ્યાથાર નાસી છૂટયો અને જઈને દાવિદ પાસે પહોંચી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અહીટૂબના દીકરા અહીમેલેખનો અબ્યાથાર નામનો એક દીકરો બચી ગયો, તે દાઉદ પાસે નાસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ અહિટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પરંતુ અહીમેલેખનો એક પુત્ર અબ્યાથાર છટકી ગયો અને દાઉદને જઈ મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:20
15 Iomraidhean Croise  

સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ.


શેવા સચિવ હતો.


તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા.


દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા.


અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા; શાવ્શા મંત્રી હતો.


ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


ઇખાબોદના ભાઈ અહીટૂબનો પુત્ર અહિયા એફોદ પહેરનાર યજ્ઞકાર હતો. અહિટૂબ તો શીલોમાંના પ્રભુના યજ્ઞકાર એલીના પુત્ર ફિનહાસનો પુત્ર હતો. યોનાથાન ગયો છે એવી માણસોને ખબર નહોતી.


“છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે.


શાઉલે પ્રભુના યજ્ઞકારોની ક્તલ કરી છે તે તેણે દાવિદને જણાવ્યું.


અહિમેલેખનો પુત્ર અબ્યાથાર નાસી છૂટયો હતો ત્યારે તે એફોદ લઈને કઈલામાં દાવિદ પાસે ગયો.


શાઉલ તેના પર હુમલો કરવાની પેરવી કરે છે એવું સાંભળીને દાવિદે અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “એફોદ અહીં લાવ.”


દાવિદે અહિમેલેખના પુત્ર અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “પવિત્ર એફોદ મારી પાસે લાવ” અને અબ્યાથાર તે તેની પાસે લઈ આવ્યો.


રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan