Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 જો માણસ એમ કહે કે, “પ્રથમ ચરબીનું દહન થવા દે અને પછી તારે જેટલું જોઈએ તેટલું લઈ જજે.” ત્યારે યજ્ઞકારનો નોકર કહેતો, “ના, ના, મને તો હમણાં આપી દે. જો તું નહિ આપે તો મારે તે બળજબરીથી લઈ લેવું પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જો તે માણસ તેને એમ કહેતો, “તેઓ જરૂર હમણાં જ ચરબીનું દહન કરી નાખશે, અને પછી તારું દિલ ચાહે એટલું લઈ જજે;” તો તે કહેતો, “ના, પણ તું મને હમણાં જ તે આપ; નહિ તો હું બળાત્કારે તે લઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જો તે માણસ તેને એવું કહે, “તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે.” તો તે કહેતો કે, “ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે જ આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:16
9 Iomraidhean Croise  

મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.”


વળી, ચરબી કાઢીને તેનું દહન કરવામાં આવે તે પહેલાં તો યજ્ઞકારનો નોકર આવીને બલિ ચઢાવનાર માણસને કહેતો, “યજ્ઞકારને શેકવાને માટે મને થોડું માંસ આપો, તે તમારી પાસેથી માત્ર ક્ચુ માંસ જ સ્વીકારશે, બાફેલું નહિ.”


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan