Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 યોનાથાને શાઉલ આગળ દાવિદની પ્રશંસા કરતાં કહ્યું, “પિતાજી, તમારા સેવક દાવિદને તમે કંઈ ઈજા કરશો નહિ. તેણે તમારું કંઈ ભૂંડું કર્યું નથી. એથી ઊલટું, તેનાં સર્વ કાર્યોથી તમને લાભ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું, “રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, ને તમારે માટે તેનાં કામ બહુ સારાં થતાં આવ્યાં છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં તેને કહ્યું, “રાજા પોતાના ચાકર દાઉદની વિરુદ્ધ પાપ ન કરે; કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, તારી પ્રત્યે ઘણાં સારાં કામો કર્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:4
15 Iomraidhean Croise  

રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


“જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું ભૂંડું કર્યાનો આક્ષેપ હોય અને પોતે નિર્દોષ છે એવા સમ ખાવાને તેને આ મંદિરમાં વેદી સમક્ષ લાવવામાં આવે,


તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે અને મારો જીવ હતાશામાં ડૂબી ગયો છે.


મારો કોઈ દોષ હોવા ન છતાં તેઓ મારી સામે દોડીને લડવા તૈયાર થાય છે. હે પ્રભુ, ઊઠો, મારી મદદે આવો અને જુઓ.


ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળનારના ઘરમાંથી કદી હાનિ હટશે નહિ.


શું ભલાનો બદલો ભૂંડાઈથી અપાય તે વાજબી છે? છતાં તેમણે મારો જીવ લેવા ખાડો ખોદ્ધો છે! તમારી સમક્ષ ઊભા રહીને તમે તેમના પર તમારો રોષ ન ઠાલવો, પણ તેમનું ભલું કરો એવી પ્રાર્થના મેં તેમના હક્કમાં કરી હતી, તે સંભારો.


આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો. તેમ જ તેની નબળી વિવેકબુદ્ધિને હાનિ પહોંચાડીને ખ્રિસ્તની વિરુદ્ધ પણ પાપ કરો છો.


જે કોઈ પોતાના ભાઈનો ધિક્કાર કરે છે તે ખૂની છે અને તમે જાણો છો કે ખૂની પાસે સાર્વકાલિક જીવન હોતું નથી


કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.


યોનાથાને જવાબ આપ્યો, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”


અહિમેલેખે જવાબ આપ્યો, “દાવિદ તમારો સૌથી વિશ્વાસુ અમલદાર છે. તે તમારો જમાઈ અને તમારા અંગરક્ષકોનો ઉપરી છે અને રાજદરબારમાં સૌ કોઈ તેનું ખૂબ આદરમાન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan