Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 શાઉલ યજ્ઞકાર સાથે વાત કરતો હતો તે દરમિયાનમાં પલિસ્તીઓની છાવણીમાં ઘોંઘાટ વધી ગયો. તેથી શાઉલે તેને કહ્યું, “રહેવા દો, અત્યારે હવે પ્રભુની સલાહ પૂછવાનો સમય નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 યાજકની સાથે શાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે શાઉલ યાજકની સાથે વાત કરતો હતો, તે દરમ્યાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધતો ને વધતો ગયો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને!”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:19
8 Iomraidhean Croise  

પરંતુ ટૂંક સમયમાં તેઓ ઈશ્વરનાં કાર્યો વીસરી ગયા, અને તેમની સલાહ સાંભળવાની પણ ધીરજ રાખી નહિ.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ.


પણ શમુએલે તેને કહ્યું, “તેં આ શું કર્યું?” શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો મને મૂકીને ચાલ્યા જાય છે અને તમારા કહ્યા પ્રમાણે તમે આવ્યા નહિ અને પલિસ્તીઓ મિખ્માશમાં એકઠા થયા છે.


પછી પૂરા ગૂંચવાડામાં પડી જઈ અંદરોઅંદર લડી રહેલા પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા શાઉલ અને તેના સર્વ માણસો ગયા. પલિસ્તીઓના પક્ષમાં ભળી જઈ તેમની છાવણીમાં ગયેલા હિબ્રૂઓ શાઉલ તથા યોનાથાનના પક્ષમાં જોડાઈ ગયા.


શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું.


દાવિદે અહિમેલેખના પુત્ર અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “પવિત્ર એફોદ મારી પાસે લાવ” અને અબ્યાથાર તે તેની પાસે લઈ આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan