Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 6:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ખાણમાં જ ઘડેલા પથ્થરો મંદિરના બાંધકામમાં વપરાતા હતા, તેથી મંદિર બંધાતું હતું ત્યારે તેમાં હથોડીઓ, કુહાડીઓ કે અન્ય કોઈ લોખંડી ઓજારનો અવાજ થતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મંદિર બાંધતી વખતે ખાણમાંથી તૈયાર કરીને [લાવેલા] પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું, અને મંદિર બાંધતી વખતે તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયાર [નો અવાજ] સંભળાતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 6:7
14 Iomraidhean Croise  

ઓરડીઓ સૌથી નીચેના માળે 2.2 મીટર પહોળી, વચલા માળે 2.7 મીટર પહોળી અને સૌથી ઉપલા માળે 3.1 મીટર પહોળી હતી. પ્રત્યેક માળે મંદિરની દીવાલ તેના નીચેના માળ કરતાં સાંકડી હતી; જેથી ઓરડીના ભારટિયાઓ મંદિરની દીવાલોમાં બાકોરાં પાડીને દાખલ ન કરતાં દીવાલના ખાંચામાં ટેકવી શક્યા હતા.


ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી.


જો તમે મારે માટે પથ્થરની વેદી બનાવો તો ઘડેલા પથ્થરની ન બનાવશો. કારણ, પથ્થર પર છીણી વાપરવાથી તમે તે પથ્થરને મારે માટે નિરુપયોગી બનાવો છો.


પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.


તે પોકાર પાડશે નહિ કે બૂમ પાડશે નહિ અથવા શેરીઓમાં ઊંચે સાદે બોલશે નહિ.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


વળી, આપણે, જેમને ઈશ્વરે મહિમાવંત કરવા અગાઉથી તૈયાર કર્યાં એવા કૃપાનાં પાત્રો સમક્ષ તે પોતાના મહિમાની સમૃદ્ધિ પ્રગટ કરે.


આપણને આ ફેરફારને માટે તૈયાર કરનાર તો ઈશ્વર છે, અને એની ખાતરી તરીકે તેમણે આપણને પવિત્ર આત્મા આપેલો છે.


વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે.


ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


Lean sinn:

Sanasan


Sanasan