Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 6:5 - પવિત્ર બાઇબલ C.L.

5 મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે ઘરની એટલે મંદિરની તેમ જ પરમ પવિત્રસ્થાનની ભીંતોને લગતા ચારેબાજુ માળ બનાવ્યા, અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 6:5
26 Iomraidhean Croise  

મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો.


પરમપવિત્રસ્થાનમાં પ્રવેશદ્વારનાં બે કમાડો ઓલિવવૃક્ષના લાકડામાંથી બનાવેલા હતાં. પ્રવેશદ્વાર પંચકોણ આકારનું હતું; એટલે કે તેની ઉપરના ભાગમાં અણીદાર કમાન હતી.


ઓરડીઓ સૌથી નીચેના માળે 2.2 મીટર પહોળી, વચલા માળે 2.7 મીટર પહોળી અને સૌથી ઉપલા માળે 3.1 મીટર પહોળી હતી. પ્રત્યેક માળે મંદિરની દીવાલ તેના નીચેના માળ કરતાં સાંકડી હતી; જેથી ઓરડીના ભારટિયાઓ મંદિરની દીવાલોમાં બાકોરાં પાડીને દાખલ ન કરતાં દીવાલના ખાંચામાં ટેકવી શક્યા હતા.


અને તેમને નીચેની ફરજો સોંપાઈ હતી: આરોનના વંશના યજ્ઞકારોને મંદિરની સેવાના કામમાં મદદ કરવી, તેના આંગણાં અને ખંડોની દેખભાળ કરવી અને પવિત્ર વસ્તુઓ અશુદ્ધ ન થાય તે જોવું;


પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.


ચાર મુખ્ય સંરક્ષકો લેવીઓ હતા અને આખરી જવાબદારી તેમની હતી. તેઓ મંદિરના ઓરડાઓ અને તેમાં રાખેલા પૂરવઠા માટે જવાબદાર હતા.


રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા.


નમૂના મુજબ પરમ પવિત્ર સ્થાનની આગળ સળગાવવાના દીવાઓ અને તેમની દીવીઓ;


પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી.


દાંડાના છેડા બીજી કોઈ જગ્યાએથી નહિ, પણ માત્ર પરમ પવિત્રસ્થાન સમક્ષ ઊભો રહેવાથી જ જોઈ શક્તા હતા. (આજે પણ તે ત્યાં છે.)


પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ હાથ જોડીને પ્રાર્થના કરું છું; તેથી મારી વિનંતીનો પોકાર સાંભળો.


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


“તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ”


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.


પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું.


તેણે તે અંતર્ગૃહનું માપ લીધું તો તેની લંબાઈ દસ મીટર અને તેની પહોળાઈ પણ દસ મીટર હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્ર સ્થાન છે.”


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan