Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:42 - પવિત્ર બાઇબલ C.L.

42 પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક [માર્યા જશે].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાહના વચન છે, ‘જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેના સૈનિકોના બદલે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:42
11 Iomraidhean Croise  

નાથાને દાવિદને કહ્યું, “તું જ એ માણસ છે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘મેં તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા બનાવ્યો અને શાઉલથી તારો બચાવ કર્યો.


બેનહદાદે તેને કહ્યું, “તમારા પિતા પાસેથી મારા પિતાએ જે નગરો જીતી લીધાં હતાં તે હું તમને પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરૂનને વ્યાપાર કેન્દ્ર બનાવી દીધું હતું તેમ તમે દમાસ્ક્સનું પણ કરો.” આહાબે જવાબ આપ્યો, “તો તે શરતે હું તમને મુક્ત કરીશ.” તેણે તેની સાથે કરાર કરી તેને જવા દીધો.


રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’


સંદેશવાહકે પોતાના મોં પરથી વ કાઢી નાખ્યું એટલે રાજાએ તરત જ તેને ઓળખ્યો કે તે એક સંદેશવાહક છે.


થોડા સમય બાદ અરામનો રાજા બેનહદાદ ઇઝરાયલ સામે પોતાનું સમસ્ત સૈન્ય લઈને આવ્યો અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો.


હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.”


અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.


પ્રભુની આજ્ઞાને તું આધીન થયો નહિ અને અમાલેકીઓ અને તેમના સર્વસ્વનો સંપૂર્ણપણે નાશ કર્યો નહિ તેથી જ પ્રભુએ તને આ શિક્ષા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan