Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 અને એમ સંદેશવાહક યેહૂ મારફતે પ્રભુએ બાશા વિરુદ્ધ જે ભવિષ્ય ભાખ્યું હતું તે મુજબ ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એમ બાશાનાં સર્વ પાપ તથા તેના દીકરા એલાનાં પાપ જે તેઓએ કરીને, ને જે વડે તેઓએ ઇઝરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યર્થતાઓથી ઇઝરાયલના ઈશ્વર યહોવાને રોષ‍ ચઢાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આમ, જે પ્રમાણે યહોવાહ પોતાનું વચન પ્રબોધક યેહૂની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઝિમ્રી દ્વારા બાઅશાનાઁ કુળના સભ્યોનો સંહાર થયો, જેની પ્રબોધક યેહૂએ ભવિષ્યવાણી કરી હતી અને આમ યહોવાના વચન સાચાં પડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 16:12
11 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના સેવક સંદેશવાહક અહિયા મારફતે સંદેશ આપ્યો હતો તેમ ઇઝરાયલના લોકોએ તેને દફનાવ્યો અને તેને માટે શોક કર્યો.


યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેમની સત્તાના સમયમાં સતત સંઘર્ષ જારી રહ્યો.


પ્રભુએ હનાનીના પુત્ર સંદેશવાહક યેહૂ સાથે વાત કરીને તેને બાશા માટે આ સંદેશો આપ્યો:


અને મેં યરોબામના સંબંધમાં કર્યું તેમ હું તારું અને તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ.


બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો.


એલિયા દ્વારા પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે માટલીમાંનો લોટ કે બરણીમાંનું તેલ ખૂટી ગયાં નહિ.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો.


શીલોના દષ્ટા એલિયા મારફતે નબાટના પુત્ર યરોબામને પ્રભુ પરમેશ્વરે જે કહ્યું હતું તે પૂરું થાય તે માટે એ પ્રભુની ઇચ્છા હતી. તેથી રાજાએ લોકોનું સાંભળ્યું નહિ.


હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.


યહોશાફાટના અમલની શરૂઆતથી તેના અંત સુધીનાં તેનાં બાકીનાં કૃત્યો હનાનીના પુત્ર યેહૂના ઇતિહાસમાં લખેલાં છે; જેનો સમાવેશ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં કરેલો છે.


મૂર્ખને હાથે સંદેશો મોકલનાર જાણે પોતાનો જ પગ કાપે છે; તે પોતાનું જ નુક્સાન વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan