Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:42 - પવિત્ર બાઇબલ C.L.

42 હજુ તો તે બોલતો હતો એવામાં યજ્ઞકાર અલ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ; તું સારો માણસ છે. તારી પાસે શુભ સમાચાર હોવા જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 હજી તો તે બોલતો હતો, એટલામાં જૂઓ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ [તેને] કહ્યું, “અંદર આવ; કેમ કે તું સારો માણસ છે, ને સારા સમાચાર લાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:42
10 Iomraidhean Croise  

વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા.


સાદોકનો પુત્ર અહિમાસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન પણ ત્યાં તેમની સાથે છે. તને મળેલી માહિતી તેમના દ્વારા મને મોકલજે.”


અબ્યાથારનો પુત્ર યોનાથાન અને સાદોકનો પુત્ર અહિમાસ યરુશાલેમના સીમાડે એનરોગેલ ઝરા પાસે છુપાઈ રહેતા હતા. જે કંઈ બની રહ્યું હોય તે વિષે એક દાસી નિયમિત રીતે જઈને તેમને જણાવતી. પછી તેઓ જઈને તે દાવિદ રાજાને જણાવતા. કારણ, તેઓ શહેરમાં પ્રવેશીને લોકોની નજરે પડવા માંગતા નહોતા.


પ્રથમ માણસની દોડ અહિમાસની દોડ જેવી લાગે છે. રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને તે શુભ સમાચાર લાવે છે.”


અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?”


યોનાથાને કહ્યું, “ના જી, એવું નથી, કારણ, નામદાર રાજા દાવિદે શલોમોનને રાજા બનાવ્યો છે.


આહાબે યહોશાફાટને કહ્યું, ‘મેં તમને નહોતું કહ્યું કે તે મારે માટે સારું ભવિષ્ય કહેતો જ નથી? એનું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે!”


યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.”


પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”


Lean sinn:

Sanasan


Sanasan