Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:33 - પવિત્ર બાઇબલ C.L.

33 પણ પરિણીત વ્યક્તિ દુન્યવી બાબતોની ચિંતા રાખે છે. કારણ, તે પોતાની પત્નીને પ્રસન્‍ન કરવા માગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારી પત્નીને કેવી રીતે પ્રસન્‍ન કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:33
13 Iomraidhean Croise  

પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો.


ત્રીજાએ કહ્યું, ‘મારું હમણાં જ લગ્ન થયું છે, એટલે મારાથી આવી શકાય તેમ નથી.’


ભાડૂતી માણસ નાસી જાય છે, કારણ, તે ભાડૂતી છે, અને તેને ઘેટાંની દરકાર નથી.


પતિએ પત્નીની અને પત્નીએ પતિની જરૂરિયાત સંતોષી એકબીજા પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ.


તમે ચિંતામુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત વ્યક્તિ પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે પ્રભુને પ્રસન્‍ન કરવા યત્ન કરે છે.


આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્‍નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્‍ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું.


પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.


પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે.


એ જ પ્રમાણે પતિઓ, પત્ની નિર્બળ પાત્ર છે, તેથી તેમની સાથે સમજદારીપૂર્વક રહો. તમારે તેમના પ્રત્યે માનભર્યો વર્તાવ રાખવો જોઈએ. કારણ, તમે અને તેઓ ઈશ્વર પાસેથી બક્ષિસમાં મળતા જીવનના સહભાગી છો. તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ માટે તે પ્રમાણે કરો.


Lean sinn:

Sanasan


Sanasan