Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:28 - પવિત્ર બાઇબલ C.L.

28 જો તું લગ્ન કરે તો તું પાપ કરતો નથી, અને જો કોઈ કુમારિકા લગ્ન કરે તો તે પણ પાપ કરતી નથી, પણ જેઓ લગ્ન કરે છે તેમને દુન્યવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું તો તમને તેમાંથી બચાવી લેવા માગું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ જો તું પરણે, તો તેં પાપ કર્યું એમ નથી. અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાંને શારીરિક દુ:ખ થશે. પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:28
7 Iomraidhean Croise  

પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ પોતાની પત્ની વ્યભિચારી ન હોય છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરે તો પહેલો પતિ પત્નીની પાસે વ્યભિચાર કરાવવા બદલ દોષિત છે. વળી, જે પુરુષ એવી લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.


હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું.


શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ.


ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે;


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan