Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:25 - પવિત્ર બાઇબલ C.L.

25 હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી. પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:25
15 Iomraidhean Croise  

તેમના શ્રેષ્ઠ યુવાનો અગ્નિથી બળી મર્યા, ત્યારે યુવાન કન્યાઓનાં લગ્નગીત ગવાયાં નહિ.


પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે.


કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


પરિણીતોને માટે મારી પોતાની તો નહિ, પણ પ્રભુની આજ્ઞા છે: પત્નીએ પોતાના પતિથી અલગ થવું નહિ.


બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું જણાવું છું: જો કોઈ ખ્રિસ્તી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ.


જો તું લગ્ન કરે તો તું પાપ કરતો નથી, અને જો કોઈ કુમારિકા લગ્ન કરે તો તે પણ પાપ કરતી નથી, પણ જેઓ લગ્ન કરે છે તેમને દુન્યવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું તો તમને તેમાંથી બચાવી લેવા માગું છું.


આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્‍નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્‍ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું.


છતાં તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારુ મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે.


આ વાત હું આજ્ઞા તરીકે નહિ, પણ એક છૂટછાટ તરીકે કહું છું.


હવે હું જે લખું છું, તે લખવાનું મને પ્રભુ કહેતા નથી, પણ આ બડાઈની બાબતમાં હું મૂર્ખની માફક જ વાત કરું છું.


ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan