Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 માત્ર જેમ પ્રભુએ દરેકને વહંચી આપ્યું છે, અને જેમ ઈશ્વરે દરેકને તેડયું છે. તેમ તેણે વર્તવું. એ જ [નિયમ] હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:17
18 Iomraidhean Croise  

કારણ, લગ્ન નહિ કરવાનાં જુદાં જુદાં કારણો હોય છે: કેટલાક જન્મથી જ લગ્ન માટે અયોગ્ય હોય છે; બીજા કેટલાકને માણસોએ એવા બનાવ્યા હોય છે; જ્યારે કેટલાક ઈશ્વરના રાજ માટે લગ્ન કરતા જ નથી. જેનાથી આ વાત પળાય તે પાળે.


તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય.


જો કોઈ આ વિષે વધુ દલીલ કરવા માગે તો મારે કહેવું પડશે કે અમારી મયે કે ઈશ્વરની મંડળીઓમાં એવો રિવાજ નથી.


જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું; જેથી તમે એકત્ર થાઓ ત્યારે પોતાને ઈશ્વરના ન્યાયશાસન નીચે લાવો નહિ. બીજી બાબતોનો નિકાલ હું તમારી મુલાકાત લઈશ ત્યારે કરીશ.


કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.


હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું.


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


જો કોઈ સુન્‍નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો પછી તેણે સુન્‍નતનાં ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહિ. જો કોઈ સુન્‍નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો તેણે સુન્‍નત કરાવવા યત્ન કરવો નહિ.


તેથી તમે માણસોના ગુલામ બનશો નહિ. ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો.


હકીક્તમાં તો બધાં માણસો મારા જેવાં હોય તેવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું ખાસ કૃપાદાન આપેલું હોય છે.


આવી બીજી બધી બાબતો ઉપરાંત દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે.


તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ, જે શુભસંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રસંશાપાત્ર છે.


તે સમયે યહૂદિયાની ખ્રિસ્તી મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા.


મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે.


સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan