Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 15:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તો હવે મૂએલાંને બદલે જેઓ બાપ્તિસ્મા પામ્યાં છે તેમનું શું? તેઓ શું મેળવવાની આશા રાખે છે? મૂએલાં સજીવન થવાનાં નથી એવો તેમનો દાવો સાચો હોય, તો પછી તેઓ મૂએલાંને બદલે શા માટે બાપ્તિસ્મા પામે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જો એમ ન હોય તો જેઓ મૂએલાંને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાંનું પુનરુત્થાન થતું જ નથી, તો તેઓને માટે લોકો શા માટે બાપ્તિસ્મા પામે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 જો લોકોને મૂએલામાંથી કદી પણ ઊઠાડયા ન હોય તો મૃત્યુ પામેલા લોકોના વતી જે લોકો બાપ્તિસ્મા પામ્યા છે તેઓ શું કરશે? જો મૃત્યુ પામેલા લોકો કદી પણ ઊઠયા ન હોય તો તેઓના માટે લોકો શા માટે બાપ્તિસ્મા લે છે?

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 15:29
7 Iomraidhean Croise  

ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો? તેમણે જવાબ આપ્યો, હા, અમે તેમ કરી શકીએ છીએ.


તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


જો મૂએલાં સજીવન થતા નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.


પણ જ્યારે સર્વ બાબતોને ખ્રિસ્તના રાજયાધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વ બાબતોને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે.


વળી, અમારા સંબંધી કહું તો, અમે શા માટે હરહંમેશ જોખમ ખેડીએ છીએ?


અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”


Lean sinn:

Sanasan


Sanasan